સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં રિષભ પંત જે રીતે બીજી ઈનિંગમાં આઉટ થયો હતો, તેનાથી ફરી એકવાર તેની રમત અને મેદાન પર એના સ્વભાવ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રિષભ એક બેદરકાર શોટ રમતા કાગિસોએ રબાડા સામે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સુનીલ ગાવસ્કરે ઋષભ પંતની આકરી ટીકા કરી હતી. ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું ખરાબ પ્રદર્શન ફરી ચર્ચામાં છે.
જોહાનિસબર્ગ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પંત ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. પંતે પ્જા બીજા દાવમાં ખાતું ખોલાવ્યા વગર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઈનિંગમાં રિષભ જે રીતે આઉટ થયો તેના પર ફરી એકવાર સવાલ ઊભા થવા લાગ્યા. સાવ કંગાળ રમ્યો.

કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે રિષભ પંતની આકરી ટીકા કરી હતી. વિકેટકીપર પંત ક્રિઝ પર આવે તે પહેલા જ ભારતીય ટીમે 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પંતને સખત ભાષામાં ઝાટકી નાખ્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું, ‘તમે આ શોટ રમ્યા પછી કોઈ બહાનું નથી બનાવ્યું. તમે કરી શકો છો, આ તમારી કુદરતી રમત છે, પણ આવી બકવાસ વસ્તુઓ સ્વીકારવામાં આવશે નહીં. રહાણે અને પુજારાની વિકેટો પછી તમે જોશો. થોડી જવાબદારી બતાવવી જોઈએ અને બેદરકારી નહીં.

દક્ષિણ આફ્રિકાએ પંતની વિકેટ સાથે સતત 3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ફરી એકવાર બેકફૂટ પર લાવી દીધી હતી. તે અત્યાર સુધી ભારતીય ટીમ મોટી લીડના માર્ગે હતી પરંતુ પંતની બેદરકારી મેચના પરિણામમાં પણ ફેર પડી શકે છે. લંચ સુધીમાં ભારતીય ટીમ તેની 6 વિકેટ ગુમાવી ચૂકી છે. ત્યાં સુધી દક્ષિણ આફ્રિકા પાસે મેચમાં પરત ફરવાની સુવર્ણ તક છે. મેચ પછીના શો દરમિયાન આકાશ ચોપરાએ રિષભ પંતને જે રીતે આઉટ કરવામાં આવ્યો હતો તેના પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તે સમયે પંત પાસે હતો બે વિકેટ પડી ગયા બાદ તેણે બેદરકાર ન રહેવું જોઈતું હતું. આ પહેલી વાર નથી. જ્યારે રિષભ પંત બેદરકાર શોટ રમીને આઉટ થયો હોય. રિષભ પંત હંમેશા તેની નેચરલ ગેમને આગળ રાખીને વિકેટ બચાવે છે પરંતુ જોહાનિસબર્ગમાં તે જે રીતે આઉટ થયો પ્રશ્નો ઉભા થવાના છે. ઋષભ પંત પણ સેન્ચુરિયન ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 8 રન અને બીજી ઇનિંગમાં 34 રન બનાવીને આઉટ થયો હતો.

