મોરબી જિલ્લા પંચાયતજિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને સચિવ પી.જે ભગદેવની હાજરીમાં યોજાયેલા આ સભામાં કોરોના, નાની સિંચાઇ કૌભાંડ બાદ ગ્રામ વિસ્તારમાં તળાવ ઊંડા ઉતારવા અને અન્ય સિંચાઇ કામગીરી અટકી પડતા ખેડૂતોની કફોડી સ્થિતિ જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ્ટ તેમની ભરતી પ્રક્રિયા માટે સરકારમાં ધારદાર રજુઆત કરવા ઓરડાઓની ઘટ્ટ , જર્જરિત ઓરડાના પ્રશ્નો અને તેના ઝડપથી રીનોવેશન કરાવવા આ ઉપરાંત મોરબી,ટંકારા અને વાંકાનેર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાના પ્રશ્નો,ખેતીવાડી વિભાગ તરફથી સહાયમાં થતા વિલંબ બાબત ,ગરીબ પરિવારને 100 ચોરસવાર પ્લોટ ફાળવણી વગેરે બાબતોએ સભ્યોએ પ્રશ્નો રજૂ કર્યા હતા જોકે કોંગ્રેસ નાની સિંચાઇ કામગીરી તેમજ ગરીબ પરિવારને 100 ચોરસવાર પ્લોટમાં કામગીરી સ્થાનિક લેવલથી મંજુર કરવામાં આવે જેથી ખેડૂતો તેમજ ગરીબ પરિવારોને થતી હાલાકીનો સામનો ન કરવો પડે તેવી સ્થિતિ ઉભી કરવા ઉગ્ર માગણી કરી હતી તો કોરોનાની ત્રીજી લહેરની જિલ્લામાં દસ્તક થઈ જતા દિવસે દિવસે વધી રહેલા કેસ સામે આરોગ્ય તંત્ર કેટલું સજાગ છે. કેટલા તબીબોની ઘટ્ટ છે દવા,ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલમાં બેડ,માળીયા મિયાણાની સીએચસી સહિતની અલગ અલગ માંગણી મુદે અધિકારીઓ પાસેથી ઉત્તર માગયા હતા

