મોરબીની દફતરી શેરીમાં રહેતા અને કુબેરનાથ મંદિરમાં પૂજા કરતા ધીમલગીરી હર્ષદગીરી ગોસાઈ કુબેરનાથ મંદિરમાં પુજા માટે ગયા હતા તે દરમિયાન દફતરી શેરીમાં તેમના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેમના ઘરમાંથી તસ્કરો રૂ 10 હજાર રોકડ તેમજ સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસની ટીમ તેમના ઘરે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી બનાવ અંગે ધીમલગીરીએ એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

