દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી દેશભરમાં અલગ અલગ સરકારી કચેરી દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેના ભાગરૂપે અમદાવાદ વેજલપુર સ્થિતિ આયકર ભવન ખાતેથી સાયકલોથોનું આયોજન કરવામાં આવ્યું હતું આ જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું,વહેલી સવારે યોજાયેલ આ સાયકલોથોન માં આયકર વિભાગના કર્મચારી,મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો જોડાયા હતા.આ રેલી ખેડા સત્યાગ્રહની યાદગીરીની ભાગરૂપે યોજાઈ હતી સાયકલસવાર યુવાનો ખેડા પહોચશે અને ખેડા સત્યાગ્રહ સાથે જોડાયેલા સત્યાગ્રહીઓને યાદ કરશે અને તેમને શ્રધ્ધાંજલી આપશે.


