મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકા વિસ્તારમાં આવતા હરિપર ગામના મેરુભાઈ મંગળાભાઈ ભીમાણી નામના 70 વર્ષના વૃદ્ધ 15દિવસ પહેલા વહેલી સવારે પાલતું પશુઓને નિરણ નાખતા હતા તે દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેમની તબિયત લથડી પડતા ગંભીર હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જે બાદ તેઓની તબીયત વધુ લથડતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન મેરુભાઈનું મોત નિપજ્યું હતું.બનાવના કાગળો અંગે માળીયા મિયાણા પોલીસે એડી નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

