જિલ્લામાં નાના બાળકોના સામાન્ય કારણસર આપઘાત કરી લેવાની ઘટના દિન પ્રતિદિન વધી છે બે દિવસ પહેલા મોરબીના ઘૂટું રોડ પ્ર પિતાએ પગાર આવ્યા બાદ મોબાઈલ રીપેર કરવાનું જણાવતા સગીરે આપઘાત કરી લીધો હતો હજુ આ બનાવની શાહી સુકાઈ પણ નથી ત્યાં વાંકાનેરના નવાપરા પંચાસરા રોડ પરના વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાં રહેતા રાજેશભાઈ ડાભીની 16 વર્ષની દીકરી ભૂમીબેને અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સગીરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે સગીરાના આપઘાત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પી એચ બોરાણા એ તપાસ હાથ ધરી હત

