નવી દિલ્હી, સોમવાર
ભારતીય ક્રિકેટ ટીમના ODI અને T20 ફોર્મેટના કેપ્ટન બનાવવામાં આવેલા રોહિત શર્માએ જવાબદારી સંભાળ્યા બાદ પહેલીવાર ખુલીને વાત કરી છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ, રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે પોતાનો અભિપ્રાય આપ્યો.
નવા કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની જોરદાર પ્રશંસા કરી અને એ પણ જણાવ્યું કે બેટ્સમેન તરીકે ટીમમાં તેની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. બીસીસીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રોહિત શર્માએ વિરાટ કોહલી વિશે કહ્યું, ‘વિરાટ કોહલીએ ટીમનું શાનદાર નેતૃત્વ કર્યું છે અને હવે ટીમ એવી જગ્યાએ છે જ્યાંથી પાછળ વળીને જોવાનું નથી. વિરાટની આગેવાની હેઠળની ટીમને એક જ સંદેશ હતો કે અમારે જીતવા માટે રમવું પડશે.કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મેં વિરાટ સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે, ત્યારથી મને ખૂબ મજા આવી છે. અમે એક ટીમ તરીકે આગળ વધીશું અને વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું.હવે ODIની કમાન પણ રોહિત શર્માના હાથમાં આવી ગઈ છે. રોહિત શર્માએ ટી-20ની કેપ્ટનશિપ સંભાળ્યા બાદ પણ વિરાટ કોહલી વિશે વાત કરી હતી. રોહિતે કહ્યું હતું કે વિરાટ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે, તે ટીમમાં લીડર છે. આવી સ્થિતિમાં ટીમમાં બેટ્સમેન તરીકે તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

