HomeGujaratNorth GujaratAMCનો જાહેરમાં ઘાસચારો વેચવા પર મોટો નિર્ણય : હવે જો જાહેરમાં ઘાસ...

AMCનો જાહેરમાં ઘાસચારો વેચવા પર મોટો નિર્ણય : હવે જો જાહેરમાં ઘાસ વેંચશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ, મંગળવાર

   અમદાવાદમાં એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જે પણ લોકો જાહેરમાં ઘાસચારો વેચતા હોય છે. તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ હવે જાહેરમાં ઘાસચારો વેચશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી જાહેરમાં ચારો વેચવો હવે કોઈને પણ ભારે પડી શકે છે.

   મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમા રખડતા પશુઓનો ત્રાસ ઘટાડવાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ હવે જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરશે તેની સામે એએમસી દ્વારા કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મંદિરોની સામે ઘાસચારાના વેચાણ પણ પ્રતિબંધ હોવા છતા પણ ત્યા ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને રખડતા ઢોરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. પરિણામે મંદિરની બહાર હવે એએમસીના અધિકારીઓ હવે ચાંપતી નજર રાખશે અને જો કોઈ પણ વ્યક્તિએ ઘાસચારો વેચ્યો તો તેની સામે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે માત્ર અમદાવાદમાંજ નહી પરંતુ ગુજરાતના ઘણા બધા શહેરોમાં હવે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW