14 ફેબ્રુઆરી 2019 પુલવામામાં ખાતે થયેલા હુમલા બાદ ભારતીય સેનાએ જૈશ એ મહમદની સામે ઓપરેશન ચલાવ્યું હતું.જેમાં પુલવામાં ખાતે આવેલ પિંગલીના મેજર વિભૂતિ શંકર ઢોડીયાલ શહીદ થયા હતા જેમાં બીજા ચાર જવાન પણ શહીદ થયા હતા તે સમયે તેમના પત્ની નિકિતા કૌલની અઠે તેમની છેલ્લી મુલાકાત જોઈ બધાની આંખો ગર્વની સાથે સાથે ભીની પણ થઇ ગઈ હતી લગ્ન એનીવર્સરીના બે મહિના પહેલા જ મેજર વિભૂતિ શંકર ઢોઢીયાલ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.તેઓએ પુલવામાં હુમલાને અંજામ આપનાર આતંકીઓનો પીછો કરી 20 કલાક સુધી ઓપરેશન ચલાવી વીરગતિ પામ્યા હતા.
#WATCH | Delhi: Major Vibhuti Shankar Dhoundiyal’s wife Lieutenant Nitika Kaul and mother Saroj Dhoundiyal receive his Shaurya Chakra (Posthumous) for an operation in Jammu and Kashmir in which five terrorists were killed and 200 kg explosives were recovered. pic.twitter.com/0TmNwgBQ3b
— ANI (@ANI) November 22, 2021
પતિના અવસાન બાદ પત્ની નિકિતા તૂટી ગઈ હતી જોકે પોતાની તમામ હિમત સાથે પતિને આઈ લવ યુ કહીને વિદાય આપી તેમજ પતિના વારસાને આગળ વધારવા પોતે પણ સેનામાં સામીલ થવાનો નિર્ણય લીધો હતો. અને બે વર્ષ દરમિયાન તેઓ પણ સેનામાં જોડાયા અને હાલ સેનામાં લેફ્ટનન્ટ તરીકે સેવા આપે છે.
આજે દેશના વીર સપુતને તેમના શોર્ય અને અભૂતપૂર્વ સાહસ માટે સન્માનિત કરવમાં આવ્યા હતા તેમાં મેજર શહીદ વિભૂતિ શંકર ઢોઢીયાલને મરણોપ્રાંત શોર્ય ચક્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે તેમની પત્ની નિકિતા કૌલે સ્વીકાર્યો હતો.