Wednesday, May 21, 2025
HomeReligionમંગળવારે હનુમાનજીની આમ કરો પૂજા,બેડો પાર થઈ જશે

મંગળવારે હનુમાનજીની આમ કરો પૂજા,બેડો પાર થઈ જશે

હનુમાનજીની પૂજા વહેલી સવારે કરવી જોઈએ અથવા સાંજે પૂજા કરવી જોઈએ. તેમની પૂજામાં માત્ર લાલ ફૂલ જ ચઢાવવા જોઈએ. હનુમાનજીની સામે જે દીવો પ્રગટાવવામાં આવે છે તેમાં લાલ રૂની વાટ મુકવી જોઈએ. હનુમાન સાધનામાં પવિત્રતા અને સાત્વિકતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી પવિત્રતાને ધ્યાનમાં રાખીને ખૂબ જ કાળજીપૂર્વક બધું અર્પણ કરો.

હનુમાનજીની પૂજામાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દરેક વસ્તુને હાથ ધોયા પછી જ સ્પર્શ કરવો જોઈએ અને પૂજા કરતા પહેલા ઘર, પૂજા સ્થળ અને પોતાની જાતને સારી રીતે સાફ કરવી જોઈએ. હનુમાનજીની સાધના દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહિલાઓએ પોતે હનુમાનજીને ચોલા ન ચઢાવવા જોઈએ. આ કામ પુરૂષ કે પૂજારી કરી શકે છે.

મંગળવારના દિવસે પણ માંસ, શરાબ અથવા તામસિક ગુણો ધરાવતી કોઈપણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને ચરણામૃતથી સ્નાન ન કરાવવું જોઈએ, કારણ કે તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનો કોઈ નિયમ નથી.

ભગવાનનો પ્રસાદ શુદ્ધ ઘીમાંથી બનેલો હોવો જોઈએ અને તેમની સમક્ષ દીવો તેલનો કરવો. હનુમાનજી પૂજા સવારે કરી હોય તો નિવેદમાં ગોળ, નાળિયેર, લાડૂ ચઢાવી શકાય છે. જો પૂજા સાંજે કરી હોય તો કેરી, જામફળ, કેળા જેવા ફળ ચઢાવવા જોઈએ. ભગવાનના મંત્રનો જાપ તેમના નેત્ર સમક્ષ જોઈને કરવો. મંત્ર જાપ રુદ્રાક્ષ અથવા પરવાળાની માળાથી કરવો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,043FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW