ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ટોપ 4માંથી પહેલા જ બહાર થઈ જતાં ક્રિકેટ ચાહકોની નારાજગી જોવા મળી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમની ટીકા પણ થઈ હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓ IPLટુર્નામેન્ટને દેશથી ઉપર રાખે છે. આ દરમિયાન પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે. ભારતના ભૂતપૂર્વ કોચ શાસ્ત્રીએ કહ્યું કે ખેલાડીઓ IPLપહેલા દેશને મુકે છે. કોચ પદે હતા ત્યારે જેટલા ચર્ચામાં ન હતા એટલા ચર્ચામાં રવિ શાસ્ત્રી હવે રહ્યા છે.
કોચપદેથી ગયા બાદ તેમણે ભારતીય ક્રિકેટ ટીમની ખામી ગણાવવાથી લઈને હવે IPL ટુર્નામેન્ટ સુધીના ખેલાડીઓ પ્રત્યે નિવેદન આપી દીધા છે. અંગ્રેજી મીડિયા આપેલી એક ખાસ મુલાકાતમાં એવું કહ્યું કે, તેમાં કોઈ આશંકા નથી. અન્યથા તમે પાંચ વર્ષમાં આ પ્રકારનું પ્રદર્શન જોવા નહીં મળે. જો દેશ માટે રમતી વખતે તમારું મન ન હોય તો કોણ એવો મૂર્ખ ખેલાડી છે જે ફ્રેન્ચાઇઝી માટે રમવાને મહત્વ આપે. ખેલાડીની છાતી પર એ ચિહ્ન છે જેને દુનિયાના અબજો લોકો જુવે છે. ખેલાડી એના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનારા 1/4 અબજ લોકોના દેશમાં 11 માંથી એક એવું એ ભાગ્યની વાત છે. હું એવું નથી કહેતો કે, ખેલાડીએ દેશ પહેલા IPL ટુર્નામેન્ટને મહત્ત્વ આપી રહ્યા છે. આ ટુર્નામેન્ટ એપ્રિલ મહિનામાં રદ્દ થઈ ગઈ હતી. પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ફરીથી આયોજિત થઈ. ફરીથી આયોજન કરવા સિવાય આ ટુર્નામેન્ટ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. મને નથી લાગતું કે, ભવિષ્યમાં આવું બીજી વખત ક્યારેય થશે. શાસ્ત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ખેલાડીઓ ભારત માટે રમી રહ્યા છે. IPL પછી તરત જ આ વિશ્વકપ ટુર્નામેન્ટ શરૂ થતા ભારતીય ખેલાડીઓના પ્રદર્શનમાં થોડો ફેર પડ્યો હતો. પર્ફોમન્સ જેવું જોઈએ એવું રહ્યું ન હતું. પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં ધોબી પછડાટ મળી હતી.

એ પછી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આનાથી સમગ્ર ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. એવી અટકળ સેવાઈ રહી હતી કે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. એવું જ થયું.