Monday, May 12, 2025
HomeBussinessદશેરા પહેલા પોતાના કર્મચારીઓને રૂ. 72,500 સુધીનો પુરસ્કાર આપશે આ કંપની, જાણો...

દશેરા પહેલા પોતાના કર્મચારીઓને રૂ. 72,500 સુધીનો પુરસ્કાર આપશે આ કંપની, જાણો આ મહારત્ન કંપની વિશે

સાર્વજનિક ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયાના કર્મચારીનો તહેવારની સીઝન ઉપર તગડી ભેટ મળનારી છે. કંપનીએ આ વર્ષે પોતાના કર્મચારીઓને મળનારા પ્રદર્શન આધારિત પુરસ્કારમાં વધારો કરીને રૂ. 72500 કરવાનો નિર્ણય કર્યો છે.

કોલ ઈન્ડિયા લી.એ નાણાકીય વર્ષ 2020-21 માટે પોતાના તમામ નોન એક્ઝીક્યુટીવ કેડરના કર્મચારીઓ માટે પ્રતિ કર્મચારીઓને રૂપિયા 72,500નું પ્રદર્શન આધારિત પ્રોત્સાહન દેવાની જાહેરાત કરી છે. પાછલા વર્ષે કોલ ઈન્ડિયાના કર્મચારીનો રૂપિયા 68000 રૂપિયાનું મળ્યું હતું.

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મહારત્ન કંપનીએ મંગળવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રિવોર્ડની ચુકવણી 11 ઓક્ટોબર, 2021 અથવા તેના પહેલા કરવામાં આવી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કોલ ઈન્ડિયા અને તેની પેટા સિંગરેની કોલિયરીઝ કંપની લી.ના નોન એક્ઝીક્યુટીવ કેડરના દરેક કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે રૂપિયા 72,500 રૂપિયાનું પીએલઆર આપશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW