અમદાવાદ,રવિવાર
ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે અત્યારથી તૈયારીઓ કરી દેવામાં આવી છે.આ માટે ગુજરાત ભાજપ પ્રદેશે ખાસ રણનીતિ તૈયારી કરી છે,જેમાં યુપીના 11 જિલ્લાઓમાં ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે. ગુજરાત ભાજપના 165 જેટલા નેતાઓ 11 જિલ્લાની આ નેતાઓ 71 બેઠક પર પ્રચાર કરશે.

યુપીમાં સોનિયા ગાંધીના ગઢમાં રાજકોટના કશ્યપ શુક્લને જવાબદારી સોંપાઈ તેવું જણાઈ રહ્યું છે જ્યારે રાયબરેલીમાં ઉદય કાનગડ અને કે.સી.પટેલ પણ કામ તો રામ મોકરિયાને યુપીના સીતાપુર જિલ્લાની જવાબદારી સોંપાઇ છે, તેમજ જયમીન ઠાકર અને ધનસુખ ભંડેરીને પણ યુપીમાં મોકલાશે. 15 ડિસેમ્બર બાદ ગુજરાત ભાજપના નેતાઓ યુપીમાં જશે આમ આગામી 3 મહિના સુધી ગુજરાતના નેતાઓની યુપીમાં અવર જવર રહેશે.

