મોરબીના લખધીરવાસ ચોક ખાતે મયુરનગરી કા રાજા ગ્રુપ દ્વારા વિશાળ અને ભાતીગળ શ્રદ્ધા પર્વ ‘મયુરનગરી કા રાજા’ ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 11 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક ઉત્સવની શરૂઆત 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ સ્થાપના વિધિ સાથે થશે.
મયુરનગરી કા રાજા ગ્રુપ દ્વારા મોરબીના સર્વે શ્રદ્ધાળુઓને બાપ્પાના દિવ્ય દર્શન અને મહાઆરતીનો લાભ લેવા માટે ભાવભર્યું સ્નેહ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહોત્સવની મુખ્ય વિગતો:
-
સ્થાપના તારીખ: 14/09/2026, સોમવાર
-
મહાઆરતીનો સમય: દરરોજ સાંજે 7:30 કલાકે
-
વિસર્જન તારીખ: 25/09/2026, શુક્રવાર
-
સ્થળ: લખધીરવાસ ચોક, મોરબી
-
આયોજક: મયુરનગરી કા રાજા ગ્રુપ
આ મહોત્સવ દરમિયાન દર્શનાર્થીઓની સુવિધા માટે ગ્રુપ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

