હિન્દુ સમાજના વેપાર, ઉદ્યોગ, અર્થતંત્ર અને સંસ્કૃતિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત જોડાણ અને પ્રભાવ ઉભો કરવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ હિન્દુ એક્સ્પો-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તા. 18થી 20 ડિસેમ્બર, 2026 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય કોન્ફરન્સ અને એક્સ્પો યોજાશે.
આ એક્સ્પોની મુખ્ય થીમ “સંસ્કૃતિ ઔર સમૃદ્ધિ – Heritage and Prosperity” રાખવામાં આવી છે. આ વૈશ્વિક મંચ દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસા અને પરંપરાને આધુનિક ટેક્નોલોજી, ઇનોવેશન, વેપાર, રોકાણ અને વૈશ્વિક બિઝનેસ તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
એક્સ્પોમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો, કોર્પોરેટ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, સરકારી સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય ખરીદદારો તેમજ વિદેશમાં વસતા હિન્દુ ઉદ્યોગસાહસિકોને એક જ પ્લેટફોર્મ પર જોડવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન B2B અને B2G મીટિંગ્સ, બિઝનેસ નેટવર્કિંગ, રોકાણની નવી તકો, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્લેટફોર્મ તેમજ વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટે વિવિધ અવસરો ઉપલબ્ધ રહેશે.
વિશ્વના અગ્રણી સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબીના સિરામિક અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગકારો માટે પણ આ એક્સ્પો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મોરબીના ઉદ્યોગકારોને નવા બિઝનેસ સંપર્કો સ્થાપિત કરવા, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાવા અને વૈશ્વિક બજારમાં પોતાની પહોંચ વિસ્તૃત કરવાની તક મળી શકે છે.
આ પહેલ કોઈ રાજકીય હેતુ સાથે જોડાયેલી નથી. તેનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજમાં વેપાર, ઉદ્યોગ, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો તેમજ દેશ અને વિદેશમાં હિન્દુ ઉદ્યોગકારો માટે નવી તકો ઊભી કરવાનો છે.
વર્લ્ડ હિન્દુ એક્સ્પો અંગે સંપૂર્ણ માહિતી આપવા અને મોરબીના સિરામિક ઉદ્યોગની સંભવિત ભાગીદારી અંગે માર્ગદર્શન આપવા માટે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના ફાઉન્ડર પૂજ્ય સ્વામી શ્રી વિજ્ઞાનાનંદજી મોરબી પધારી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં એક્સ્પોની વિચારધારા, મુખ્ય ઉદ્દેશ્યો, ભાગીદારીની તકો અને મોરબીના ઉદ્યોગની સંભવિત ભૂમિકા અંગે વિશેષ વાર્તાલાપ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
મોરબીના સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓ તથા રસ ધરાવતા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન અને ચર્ચાનો લાભ લેવા નમ્ર આમંત્રણ આપવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગતો
- સ્થળ: શિશુમંદિર સ્કૂલ, શનાળા, મોરબી
- તારીખ: 23-08-2026
- સમય: રાત્રે 9:15 વાગ્યે
સંયોજક: દિનેશ હરિપરા
સહ-સંયોજકો: હસમુખભાઈ હાલપરા, સવજીભાઈ (સનકોર) અને રાજેશભાઈ અરેણીયા (C.A.)
વર્લ્ડ હિન્દુ એક્સ્પો-2026 અંગે વધુ માહિતી મેળવવા અને આ મહત્વપૂર્ણ વિષયક સંવાદમાં જોડાવા માટે મોરબીના તમામ ઉદ્યોગકારો, વેપારીઓ અને રસ ધરાવતા મિત્રોને સમયસર ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

