બ્રાઝિલ,બુધવાર
કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ પણ બ્રાઝિલ પહોંચી ગયું છે. બ્રાઝિલમાં બે ઓમિક્રોન સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. આ બંને સાઉથ આફ્રિકાથી પ્રવાસ કરીને પરત ફર્યા હતા. સો પાઉલો રાજ્યના આરોગ્ય સચિવાલયે જણાવ્યું હતું કે ઓમિક્રોનથી સંક્રમિત 41 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય સ્ત્રીને અલગ રાખવામાં આવ્યા છે. બંને 23 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. તેમનો કોરોના ટેસ્ટ 25 નવેમ્બરે કરવામાં આવ્યો હતો, તે સમયે તેમનામાં ચેપના હળવા લક્ષણો જોવા મળ્યા હતા.
‘ઓમિક્રોન વેરિઅન્ટ એક અઠવાડિયા પહેલા જ યુરોપ પહોંચી ગયો હતો’
નેધરલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે એક ચોંકાવનારી માહિતી આપી. તેમણે કહ્યું- લગભગ 9 દિવસ પહેલા નેધરલેન્ડમાં બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં, જ્યારે તેઓની વધુ તપાસ કરવામાં આવી, ત્યારે તેમની પાસેથી ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યું હતું. મતલબ કે આ વેરિઅન્ટ એક અઠવાડિયા પહેલા જ યુરોપમાં આવી ગયું હતું. બંને ચેપગ્રસ્ત દક્ષિણ આફ્રિકાથી નેધરલેન્ડ આવ્યા હતા.
ચીન આફ્રિકાને વધુ રસી આપી શકે છે
ચીન આફ્રિકન દેશોને એક અબજ રસી દાનમાં આપવાનું વિચારી રહ્યું છે. આ સમાચાર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ આફ્રિકન દેશોમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને આ ખંડમાં રસીકરણનો દર સૌથી ઓછો છે. ચીન પર કોરોના વાયરસના મામલામાં તથ્યો છુપાવવાનો આરોપ છે. માનવામાં આવે છે કે ચીન આ કારણથી આ પગલું ભરી રહ્યું છે. જો કે હજુ સુધી ચીનની સરકારે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.
મર્કની ટેબલેટને મળી શકે છે મંજૂરી
અમેરિકામાં મંગળવારે સ્વાસ્થ્ય અધિકારીઓની એક મોટી બેઠક યોજાઈ હતી. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં જર્મન કંપની મર્કની એન્ટિ-વાયરલ ટેબ્લેટને મંજૂરી આપવાનો વિચાર આવ્યો હતો, જેને કોરોનાની સારવારમાં નોંધપાત્ર સફળતા અને વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. અત્યાર સુધી આ દવા ડેલ્ટા, મ્યુ અને ગામા વેરિઅન્ટ સામે અસરકારક જોવા મળી છે. શક્ય છે કે યુએસ ફાઇઝરના ટેબ્લેટને મંજૂરી આપવાનું પણ વિચારી શકે, જે મર્કના ટેબલેટ જેટલું જ અસરકારક માનવામાં આવે છે. જો કે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.
મોડર્નાના CEOએ કહ્યું- હાલની રસી ઓમિક્રોન સામે ઓછી અસરકારક
બંસલે કહ્યું- આપણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. અમારે વધુ ડેટા માટે રાહ જોવી પડશે. મેં જેમની સાથે વાત કરી છે તે તમામ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે રોગચાળાની દ્રષ્ટિએ આ સારો સંકેત નથી.

