મોરબીના આમરણ ખાતે સ્વ. વેદાંત કુમાર ભરતભાઈ કાસુન્દ્રાની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વેદાંત કુમાર કાસુન્દ્રાના પરિવાર તેમજ આમરણ ગૌશાળા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાશે.
આ શિબિર તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી આમરણના ડાયમંડનગર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે. આયોજકો દ્વારા સ્વ. વેદાંત કુમાર કાસુન્દ્રાને ભાવાંજલિ રૂપે યોજાનાર આ રક્તદાન મહાયજ્ઞમાં વધુમાં વધુ લોકો જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે આયોજક પરિવાર દ્વારા સૌવ લોકોને ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવસેવાના આ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું છે.

