HomeGujaratમોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાં ડૂબેલા યુવાનની લાશ મળી, ફાયર બ્રિગેડે...

મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલમાં ડૂબેલા યુવાનની લાશ મળી, ફાયર બ્રિગેડે બહાર કાઢી

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરના સમયે ડૂબી ગયેલા 21 વર્ષીય યુવાન સુરેશ ગુજ્જરની લાશ આજે મોરબી ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી બે દિવસ સુધી વ્યાપક શોધખોળ કરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરેશ ગુજ્જર (ઉં. 21) ગઈકાલે કેનાલમાં ન્હાવા અથવા અન્ય કારણસર પડ્યો હતો, જેના પરિણામે તે પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ તેના પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે બે દિવસ સુધી સતત શોધખોળ કરીને આજે યુવાનની લાશ કેનાલમાંથી બહાર કાઢી છે.

લાશને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. આવી ઘટનાઓને રોકવા માટે કેનાલ કિનારે સુરક્ષા વ્યવસ્થા અને જાગૃતિની જરૂરિયાત છે એવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW