મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ બોરીયાપાટી વિસ્તારમાં ગત તા 3 ના સવારે ઓડી કાર રજી. નં. GJ-01-KZ-6827 ના ચાલકે કાર પુરઝડપે ચલાવી હતી અને રીક્ષા નંબર GJ-36W-0730 તથા મો.સા. રજી. નં.GJ03-DQ-2321 સાથે અથડાવી ચાલકને અડફેટે લઈ શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી હતી અને કાર ખાલી છોડી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં કુરબાનભાઈ તથા મહાદેવભાઈ રણછોડ ભાઈ મારવણીયા સારવાર દરમિયાન બનેના મોત થયા હતા બનાવ બાદ મૃતકના પત્ની મેરુબેને આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

