હળવદના માણેકવાડામાં રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયાએ અજાણ્યો ચોર ઇસમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.31/10/2025ના રોજ કોઇ અજાણ્યા ચોર ઇસમો માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાંથી અલગ-અલગ ચાંદીની ફેણો તથા છત્તરો જેનુ આશરે કુલ વજન બે કિલોગ્રામ જેટલુ જેની અંદાજીત કિમત રૂ. 80,000 જેટલાની ચોરી કરી નાસી ગયા હતા.

