મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાલ એક તરફ ઓવર બ્રીજની કામગીરિ ચાલતી હોવાથી ટ્રાફિક જામ રહે છે, જેના કારણે મોટા ભાગના ખાનગી પેસેન્જર વાહન ચાલકો અને એસટી બસ પિક અપ સ્ટેશન નજીક ઉભી રહેતી હોય જેના કારણે મુસાફરોને ઊભા રહેવાની જગ્યા ઓછી મળે છે આટલું ઓછું હોય તેમ પિક અપ સ્ટેન્ડ પાસે નિયમિત કચરો ન સાફ થતો હોવાથી અહીં ગંદકી રહે છે, ત્યારે અહીં આડેધડ કચરા નિકાલ ન થાય અને નિયમિત સફાઈ થાય તેવી માગ મનુભાઈ પટેલ નામના મુસાફરે કરી છે.

