મોરબીના વિધ્યુતાનગર સર્કિટ હાઉસ સામે રહેતા શીતલબેન પુનીતભાઈ દેવઇતત નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

