મોરબીના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ગઈકાલના રોજ સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હોય તે સમયે વિજળી પડતાં મુકેશભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલિસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.