મોરબીના પ્રતિષ્ઠિત હરિહર ઉદાસીન આશ્રમ પીપળી ના મહંત કલ્યાણદાસ બાપુની આગામી 4 ઓગસ્ટના રોજ ત્રીજી નિર્વાણ તિથી નિમિત્તે હરિહર ઉદાસીન આશ્રમ નેશનલ હાઈવે નજીક ખાતે પાદુકા પૂજન અને સમાધી પૂજનનું આયોજન કરાયું છે. નિર્વાણ તિથી નિમિતે સવારે 7 કલાકે સમાધી પૂજન અને પાદુકા પૂજન થશે, સવારે 9 :30 કલાકે મહા આરતી તેમજ સવારે 10થી ૧૨ દરમિયાન શ્રદ્ધાંજલી સભા નું આયોજન કરાયું છે આ ઉપરાંત બપોરે 12 વાગ્યે મહા પ્રસાદ વિતરણ થશે કલ્યાણદાસ બાપુની નિર્વાણ તિથી નિમિતે સર્વ ધર્મ પ્રેમી જનતા ને જોડાવવા સમસ્ત ભગત મંડળ હરિહર ઉદાસી આશ્રમ ના મહંત શરદમુની બાપુએ અપીલ કરી છે

