મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા મહેશભાઇ નવઘણભાઈ ડાભીએ આરોપી કનુભાઇ રહે. શીકારપુરના પાટીયા પાસે, હરેશભાઇ, મીનાક્ષી રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ અને પ્રવિણાબેન ઝાલા રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ સાથે મળી મહેશભાઈને વિશ્વાસમાં લઇ ઠગાઇ કરવાના ઇરાદે આરોપીઓએ તેની પાસેથી રૂ.- 2,00,000 લઇ મહેશભાઈના દિકરા કાનજીના લગ્ન આરોપી પ્રવીણાબેનની દિકરી મીનાક્ષી સાથે ફુલ-હારથી વિધી કરી, લગ્ન કરાવી, ત્રણેક દીવસ ફરીયાદીને ઘરે રહીને આરોપી મીનાક્ષી પીયરમાં આટો દેવા જવાનું કહી જતી રહેલ બાદ પાછી આવેલ ન હોય આમ તમામ આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂ.- 2 લાખ લઇ પાછા નહી આપી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

