સોશ્યલ મીડિયા નામના હથીયારનો દિન પ્રતિદિન સદ્પયોગની જગ્યાએ દુરપયોગ વધી રહ્યો છે વ્યક્તિ સમાજ કે ધર્મને નીચા પાડવા અને તેમની લાગણી દુભાઈ તે પ્રકારે કોઈ ધાર્મિક દેવી દેવતા અને પૂજનીય સહિતના વિરુદ્ધ પોસ્ટ મૂકી અલગ અલગ જૂથ વચ્ચે વૈમનસ્ય વધે તેવા હીન પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે આવા તત્વો સામે કડક એક્શન લેવાય જરૂરી છે આવી જ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વહેતી થઇ હતી અને હિંદુ ધર્મના લોકોની લાગણી દુભાય તે પ્રકારની પોસ્ટ હોવાથી હિંદુ સંગઠનના આગેવાન કમલેશ ભગવાનભાઇ રૂંજા નામના વ્યક્તિએ એ ડીવીઝન પોલીસ મથકમાં ઇન્ટાગ્રામ આઇ.ડી sp-samir-47 વાળા અને ઇન્ટાગ્રામ આઇ.ડી s4hidz વાળા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસે બન્ને આઈડી વાળા શોશ્યલ મીડિયા યુઝર વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

