માળીયાના સરવડ ગામે રહેતા દિપકભાઇ વિરજીભાઈ મુછડીયાએ આરોપી અરવિંદભાઇ રણછોડભાઇ પરમાર, તુલસીભાઇ રણછોડભાઇ પરમાર અને રણછોડભાઇ પરમાર વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પંકજભાઇ ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા ગયેલ હોય ત્યારે આરોપી ભુંડી ગાળો બોલતા હોય જેને ગાળો બોલવાની ના પાડી હતી. જે બાબતે સારૂ નહી લાગતા આરોપીએ હાથમાં છરી, ધારીયા ધારણ કરી ફરીયાદીને છરી વડે ઇજા કરી મુંઢમાર મારી ઈજા પહોચાડી હતી.

