હળવદના જુના અમરાપર ગામમાં રહેતા જગજીવનભાઈ પોપટભાઈ ચાવડા નામના વ્યક્તિએ હળવદ પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોધાવી હતી કે, તેના ગામ જુના અમરાપર ગામમાં આવેલ તેમના પરિવારના માતાજીના મંદિરમાં ગત તા.- 25/04/2024ના રાત્રીના 8 વાગ્યા થી તા.- 26/04/2025 ના 6 વાગ્યા સુધીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીને ચડાવેલા 350 ગ્રામ વજનના 3 ચાંદીના છતર અને દાનપેટીમાં રાખેલ રૂ.7000 રોકડા સહીત કુલ રૂ. 30,000ના મુદામાલની ચોરી કરી નાશી ગયા હતા. આ અંગે પોલીસ યોગ્ય તપાસ કરી તસ્કરોને વહેલી તકે ઝડપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જગજીવનભાઈ ચાવડા દ્વારા માંગણી કરવામાં આવી છે.

