HomeGujaratમાળિયાના વવાણિયા ગામે માતૃશ્રી રામબાઈમાં મંદિર મુકામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

માળિયાના વવાણિયા ગામે માતૃશ્રી રામબાઈમાં મંદિર મુકામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ સી ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાનત સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.

આજ રોજ માળિયા ઘટકના વવાણીયા ગામે માતૃ રામબાઇમા મંદિર વવાણીયા જગ્યામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન માતુ રામબાઈમાં સાનિધ્યમાં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને માતુ રામબાઈમાં જગ્યા ના સંત પ્રભુદાસ મંદિરના પ્રમુખ જશુભાઈ રાઠોડ ઉપપ્રમુખ જેસંગભાઈ હુંબલ ટ્રસ્ટી જેઠા ભાઈ મિયાત્રા ખજાનચી મેણદભાઈ ડાંગર તથા ટ્રસ્ટી ગણો દ્રારા આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત માળિયા ઘટક ની આશરે 200 સગર્ભા મહિલા લાભાર્થીને અઠવાડિયામાં એક વાર તેમ 3 મહિના સુધી સુખડી આપવાની હોય તે હેતું થી આજે અન્નપૂર્ણા દેવી માતુ રામબાઈ માં મંદિર વવાણીયા ટ્રસ્ટ દ્રારા મંદિરની જ ગૌ શાળાના શુદ્ધ ગાય ના ધી માંથી તૈયાર કરી સુખડી સગર્ભા મહિલા ઓને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે. તદ ઉપરાંત માતુ રામબાઈમાં મંદિર વવાણીયા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. તેમાં મેડિકલ કેમ્પ તથા મેડિકલ સાધનો વિના મૂલ્ય વિતરણ તેમજ બારે માસ અન્નશ્રેત્ર ચાલુ રાખી તેમજ ગૌ શાળા અને પક્ષી માટે અનેક પ્રવૃતિ અને સેવા કાર્ય કરવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW