વાંકાનેરના ગાયત્રીમંદિર રોડ ઉપર રહેતા અને મૂળ વડોદરાના રહેવાસી કેશુબેન પ્રવીણભાઈ નકુમ ઉ.51 નામના મહિલાને કેન્સરની બીમારી સબબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલના રોજ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જન થતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

