આજ રોજ મોરબી એ.આર. ટી.ઓ. કચેરી ખાતે માર્ગ સલામતી કેમ્પેઇન અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 75 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. તેમજ તમામ રક્તદાતાઓને ટુ વ્હીલર ડીલરો દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબી એઆરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણી પ્રસંગે યોજાયેલ રક્તદાન શિબિરમાં એઆરટીઓ રોહિત પ્રજાપતિ તેમજ કચેરીના તમામ સ્ટાફ અને અન્ય નાગરિકોએ રક્તદાન કર્યું હતું. તેમજ તમામ રક્તદાતાઓને ટુ-વ્હીલર ડીલરો દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરબીના બ્લડ સેન્ટરનો સાથ સહકાર મળ્યો હતો.

