વાંકાનેરના ગારીડા ગામે રહેતા રૂકમુદિનભાઈ અમનજીભાઈ માથકીયાએ આરોપી ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, શબીર સમાભાઈ, ફૈઝલ મુનાફભાઈ જુણેજા, ઈમરાનભાઈ સમશેરભાઈ ખલીફા, બસીરભાઈ ખલીફા અને સમસેરભાઈ ખલીફા રહે.બધા ચન્દ્રપુર તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,
ફરિયાદીની રીઝવાનાબેનની દિકરીને આરોપી ઈમરાનભાઈ દ્વારા છેડતી કરતા સાહેદે તેને ઠપકો આપતા ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, શબીર સમાભાઈ, ફૈઝલ મુનાફભાઈ જુણેજા, ઈમરાનભાઈ સમશેરભાઈ ખલીફા સાહેદના ઘરે જઈ બોલાચાલી કરી સાહેદને લાફો મારી છતીમા પાઈપ મારી ઈજા કરતા તેમજ ફરી તથા અન્ય સાહેદો આ બનાવના સમાધાનની વાત કરવા આરોપી બસીરભાઈ ખલીફા અને સમસેરભાઈ ખલીફાના ઘર પાસે જતા તુ તારી તેમજ બોલાચાલી કરી હથીયાર વતી શરીરે મુંઢ માર મારી ઈજા પહોચાડી હતી.

