મોરબીના ઋષભનગરમાં રહેતા ગિરિરાજસિંહ લખુભા ઝાલા નામનો યુવાન ગઈકાલના રોજ લાલપર ખાતે આવેલ ઈશાન સીરામીક ઝોનમાં આવેલા શ્રી રામ ફાયનાન્સની ઓફિસમાં બેઠા હોય તે દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મારણ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

