મોરબીના પંચાસર ગામે આવેલ શિવનગરના રામજી મંદિર ચોક ખાતે તા.13/11/2024ના રોજ શિવનગર ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહાભારતનું નાટક અને પેટ પકડીને હસાવતું વકુનો વરઘોડો યાને સો દાળા સાસુના નામનું કોમીક રજુ કરવામાં આવશે.આ ધાર્મિકકાર્યમાં સહભાગી થવા અને આ કાર્યને પ્રોત્સાહન તથા તન,મન અને ધનથી સહકાર આપવા તેમજ આ કાર્યમાં ઉપસ્થિત રહેવા શિવનગર ગરબી મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

