મોરબી શહેરમાં 1999થી શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા સંસ્થા દ્વારા સિલ્વર જયુબેલી ઉત્સવનું આયોજન કરાયું છે જેમાં 25 વર્ષ દરમિયાન અભ્યાસ કરી ચુકેલા તેમજ શૈક્ષણિક સ્ટાફ એક જગ્યાએ એકત્ર થાય અને 25 વર્ષ દરમિયન સંસ્થાને નાના બ્રીજ મથી મોટા વટ વૃક્ષ બની છે ત્યારે આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો એક મંચ પર એકત્ર થાય અને ઉત્સવમાં જોડાય તેવું આયોજન કરાયું છે. 25 વર્ષની સફરમાં જોડાયેલા છાત્રો અને સ્ટાફનો સ્નેહ મિલન કાર્યક્રમ આગમી 27 મી શનાળા ગામ ખાતે આવેલી પટેલ સમાજ વાડી ખાતે યોજાશે જેમાં ભૂતપૂર્વ છાત્રોના વિદ્યાર્થી કાળના ફોટો ગ્રાફ મુકાશે તેમ અલગ અલગ પોસ્ટમાં ફરજ બજાવતા આ જ શાળાના છાત્રોનું સન્માન પણ કરવામાં આવશે. આ પૂર્વે 26 મીએ ન્યુ એરા પબ્લિક સ્કુલ રવાપર ઘુનડા રોડ થી બસમાં રેલી નીકળશે
આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રીમો પી ડી કાંજીયાએ જણાવ્યું હતું કે 1999માં 600 વિધાર્થીઓથી શરુ થયેલી આ સંસ્થા આજે 6500થી વધુ છાત્રો અલગ અલગ 6 બિલ્ડીગમાં અભ્યાસ કરી રહ્યા છે આટલા વર્ષોમાં કેજીથી લઇ પીજી સુધી અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ છાત્ર ગુજરાત કે દેશના કોઈ પણ સ્થળે રહેતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા તમમાં છાત્રો આ કાર્યક્રમમાં જોડાશે

