મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સિરામિક ફેક્ટરીની મજૂરની ઓરડીમાં રહેતા અને મૂળ છોટા ઉદેપુરના વતની અંકુશ સિકંદરભાઈ રાઠવા ઉ.16 નામના સગીરને ગળામાં દુ:ખાવો ઉપડયા બાદ બોલવાનું બંધ કરી દેતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડી ગયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

