વાંકાનેરના વરડુસર ગામે રહેતા રાજાભાઈ બચુભાઈ દંતેશરીયા નામના આધેડ ગત તા.- 08/10/2024 ના રોજ વરડુસર ગામના તળાવના પાણીમાં ન્હાવા પડેલ હોય તે દરમ્યાન હાર્ટ એટેક આવતા પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

