હળવદના નવા વેગડવાવમાં રહેતા અને ખેતી સાથે જોડાયેલ શાંતિભાઇ હરજીભાઇ રાઠોડ નામના આધેડ ગઈકાલે બપોરના રોજ વાડીએ ઈલેક્ટ્રીક પંપ ચાર્જ કરતા હોય તે દરમિયાન ઇલેકટ્રીક શોક લાગતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

