કેન્દ્રિય લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા દરેક રાજ્યમાં લાંબા સમયથી પ્રી લીટીગેશન લગતા કેસનો ઝડપી ઉકેલ લાવવા લોક અદાલતનુ આયોજન કરવા સુચના આપવામાં આવતી હોય છે અને આસુચના આધારે ગુજરાત રાજ્યમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગ દર્શનમાં મોરબીમાં આજ રોજ લોક અદાલતનું આયોજન કરાયું હતું આ લોક અદાલતમાં 11 430 કેસ રાખવામાં આવ્યા હતા જેમાં પ્રોહીબીશન, જમીન મિલકત કેસ,ચેક રીટર્ન કેસ ફેમીલી તકરાર કેસ,વાહન અક્સમાત કેસ તેમજ ટ્રાફિક ઈ ચલણ સહિતના કેસ રાખવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં રખાયેલ 11 430 કેસ માંથી 4219 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને રૂ 10,04,06, 275ની રકમનો નિકાલ કરવામાં આવ્યો હતો

