મોરબીની ધર્મવિજય સોસાયટી નજીક રહેતા અને મૂળ દાહોદના વતની વિક્રમભાઇ પુનાભાઇ બારીઆ ઉ.વ.-29 એ ગઈકાલે ધર્મવિજય સોસાયટીમાં નવી બનતી બિલ્ડીગના પાચમાં માળેની છત ખોલતી વખતે અચાનક નીચે પડી જતા ત્યાં આસપાસ લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

