મોરબીના લીલાપર પાસે આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા ફરિયાદી અજયભાઇ ખેંગારભાઈ સોલંકીના પાડોશી આરોપી નરેશભાઈના મકાનનું કલર કામ ચાલુ હોવાથી કલરના છાંટા અજયભાઈના એક્ટિવા ઉપર ઉડતા અજયભાઈએ આરોપી નરેશભાઈને કહેતા ઉશ્કેરાઈ જઈ નરેશભાઈ અને અન્ય એક શખ્સે સાથે ઝઘડો કરી અજયભાઈને ઢીકાપાટુનો માર મારી અને એક અજાણ્યા માણસે હુમલો કરી, તથા કડિયાકામ કરવાનું ચુનાયડું અજયભાઈને માથામાં ફટકારી દેતા ગંભીર ઈજા પહોચી હતી.આ ઘટના મામલે અજયભાઈએ આરોપી નરેશભાઇ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

