આમ તો એસ.ટી બસમાં મુસાફરી સલામત સવારી ગણાય છે પરંતુ ગુજરાતમાં ઘણા બનાવો બનતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર મોરબી ડેપોના કાર્યક્ષેત્રમાં એક પણ પ્રાણ ઘાતક અકસ્માત ન થવા બદલ સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે મોરબી ડેપો મેનેજર તેમજ કર્મચારીઓને અભિવાદન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આપવામાં આવ્યા છેગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ 2023 24 દરમિયાન એક પણ પ્રાણ ઘાતક અકસ્માત ન થવા બદલ મોરબી ડેપોને પ્રશંસાપત્ર તેમજ રૂપિયા 25,000 પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું છેસમગ્ર બાબતે મોરબી ડેપો મેનેજર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ તમામ શ્રય મોરબી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર અને મિકેનિક ને જાય છે તેમના સાથ અને સહકારથી આજે મોરબી ડેપોને આ પરિણામ મળ્યું છે .

