મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓરેન્ટો સિરામિક ફેકટરીમાં કામ કરતી અને લેબર કવાટર્સમાં રહેતી સંતરબેન વિદેશભાઈ ડામોર નામની પરિણીતાએ સવા મહિના પૂર્વે લગ્ન કર્યા બાદ કોઈ અગમ્ય કારણોસર કરખાનના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે ડો. ડી કે પટેલે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

