હળવદની વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર નામના વેપારી ગત તા.29 જુનના રોજ તેમના માતાપિતાને મળવા તેના વતન ધંધુકા ખાતે ગયા હતા. આ બંધ પડેલા મકાનને નિશાનમાં રાખી તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી 15 હજાર, 46,650ના સોના અને ચાંદીના દાગીના તેમજ 10 હજારની કિંમતની ચાંદીના સિક્કા મળી કુલ રૂ.- 71,650નો મુદ્દામાલ ચોરી થઇ જતા વેપારીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

