મોરબીના શકત શનાળા ગામે રહેતા અને જામનગર જિલ્લાના તારાણા ગામના પુનમબેન વિજયભાઈ અધારીયાની મોટી બહેન કાજલબેન આજથી ત્રણેક મહિના પહેલા બીમારી સબબ અવસાન પામેલ હતી. ત્યારથી તેની બેન તેના સપનામાં આવતી હોય અને તેની સાથે વાતો કરતી હોય ત્યારથી માનસિક આઘાતમા પૂનમબેન ગુમસુમ રહેતા હતા.તેની મોટી બહેનના આધાતમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે તેના પતિ વિજયભાઈ એ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી,પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.