વાંકાનેરના તરકિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ખાણ કામ કરતા ખનીજ માફિયાઓના કબ્જામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પકડી પાડયા હતા અને અને જે તે સમયે ચાર જેટલા આરોપીની ધરપકડ કરી તેની જે તે સમયે વિસ્ફોટકો જપ્ત કર્યા હતા પૂછપરછ કરતા એવી માહિતી સામે આવી હતી કે ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરવા માટે જમીનમાં ઊંડા બોર કરી વિસ્ફોટકો દાટયા હોય આ વિસ્ફોટકોનો નાસ કરવા મંજૂરી મળતા જે પોલીસે જવાબદાર વિભાગોને સાથે રાખી વિસ્ફોટકોનો નાશ કરવા માટે બ્લાસ્ટિંગ કર્યા હતા.

