વાંકાનેર મોરબી હાઇવે પર આવેલ વઘાસીયા ટોલ નાકા પાસેથી જીજે ૦૩ એફકયું ૮૯૩૦ નંબરના બાઈક પર જતા અમરશીભાઈ નંદાભાઇ ઉધરેજા (ઉ.વ.૨૭) રહે દીવાનપરા વાંકાનેર અને વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા (ઉ.વ.૨૭) તેનું બાઈક લઈને જતા હતા તે દરમિયાન પુર ઝડપે આવેલ જીજે ૩૨ ટી ૮૩૯૪ નંબરના બે ટ્રક ચાલકે ઠોકર મારતા બન્ને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બનાવમાં અમરશીભાઈ ઉઘરેજા નામના યુવકને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું જયારે વિજયને ગંભીર હાલતમાં રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ ધરી હતી

