ભારત સરકાર દ્વારા આર્મી નેવી એરફોર્સ માં જોડાવા ઘણા વીર સપૂતો ખૂબ જ મહેનત કરતાં હોય છે તેવામાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબી જીલ્લામાં એમ એમ સાયન્સ કોલેજમાં NCC ના વિદ્યાર્થીઓમાં અગ્નિવીર માં જોડાવવા માટે ખુબ ઉત્સાહ જોવા મળે છે તેમા મોરબી જીલ્લાના બે વિદ્યાર્થીઓ કુકડિયા પ્રદિપ ભરતભાઈ તેમજ બાર મેહુલ રમેશભાઇ ને અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ પ્રદિપભાઈ, ટ્રસ્ટી રજનીભાઇ , દેવાંગભાઈ તેમજ આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજ ના આચાર્ય માંડવીયા,દંગી અને ગરમોરા તેમજ NCC ઓફિસર ચૌધરી દ્વારા અગ્નિવીરમાં પસંદગી થયેલા બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

