મોરબીના લીલાપર ગામ નજીક ગેસ ગોડાઉન પાસે ભાડાના મકાનમાં રહેતા અને ભંગારરેકડીની ફેરી કરતા આકાશભાઈ મનોજભાઈ આમેલીયા નામના યુવાને બેલાગામની હદમાં આવેલા મામાદેવ મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી જે બાદ ઉલટી થવા લાગતા બેભાન થઇ ગયો હતો આ અંગેની જાણ પીપળી ગામમાં રહેતા તેના પિતા મનોજ ભાઈ દેવકરણભાઈ આમેલીયાને થઈ હતી જે બાદ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત અંગે નોધ કરી તેનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે

