મોરબીના રફાળેશ્વર ગામમાં આવેલા આંબેડકરનગર વિસ્તારમાં રહેતા જીવીબેન વાલાભાઈ ખડોલા નામના વૃધ્ધાનો 35વર્ષીય પુત્ર કિશનભાઇ વાલજીભાઇ ખડોલાને જાંબુડિયા ગામમાં આવેલા ડેલ્ટા સિરામિક જવાના રસ્તે આચંકી ઉપડતા સ્થળ પર ઢળી પડ્યો હતો જે બાદ તેને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ દરમિયાન તબીબોએ યુવકને માથાના ભાગે હેમરેજ પ્રકારની ઈજા હોવાથી તેનો સીટી સ્કેન કરવા સુચના આપવામાં આવી હતી જોકે યુવકે સીટી સ્કેન કર્યા વિના સારવાર અધુરી છોડી જતા રહ્યા હતા આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે .

